ગુજરાતી પુસ્તકો (Gujarati Books)



      
વિધિવિધાન (Vidhi vidhan)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ: 130, કિંમત:- ₹ 10/- ચીલેચલુ ગ્રહશાંતિ નવગ્રહ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ: 130, કિંમત:- ₹ 10/- ચીલેચલુ ગ્રહશાંતિ નવગ્રહોને લક્ષમાં રાખી શાંતિ અર્થે કરાવાતી હોય છે, પરંતુ પૂજ્ય શ્રીમોટાએ લગ્નની ગૃહશાંતિમાં ગૃહ એટલે સ્વજનોથી ભર્યા ઘરને મહત્ત્વ આપી તેમાં કેવી રીતે શાંતિ જળવાય તે અગિયાર શ્લોકો દ્વારા સમજાવ્યું છે. Read less

Jan 05, 2021
તરણાંમાંથી મેરૂ (Tarnamathi Meru)

લેખક: શ્રી સોમાભાઈ ભાવસાર, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- નવમી , પૃષ્ઠ:- 268, કિંમત:- ₹ ...Read more

લેખક: શ્રી સોમાભાઈ ભાવસાર, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- નવમી , પૃષ્ઠ:- 268, કિંમત:- ₹ 25/- શ્રી સોમાભાઈ ભાવસારે (શરીરસંબંધે પૂજ્ય શ્રીમોટાના નાના ભાઈ) પૂજ્ય શ્રીમોટાનું જીવનચરિત્ર બાળકોને-કિશોરોને રોચક બને એવી શૈલીમાં લખેલું. પૂજ્ય શ્રીમોટા જે પરમપદ પામ્યા એ ઘટના એમના જન્મ તથા ઉછેરના સંજોગો જોતાં ઘણી જ પ્રેરણાદાયી બની રહે એવી છે. આથી, પૂજ્ય શ્રીમોટા પણ વારંવાર કહેતા કે ‘ભગવાનનું નામ માણસને ‘તરણામાંથી મેરુ’ બનાવે છે, એનું પોતે જીવતુંજાગતું દૃષ્ટાંત છે.’’ Read less

Dec 07, 2020
શ્રીકેશવાનંદજી ધૂણીવાળા દાદાજી (Shree Keshvanandji Dhuniwala Dadaji)

(ENG) લેખિકા: સુશીલા ટી.અમીન, આવૃત્તિ: ચોથી, પૃષ્ઠ: 112, કિંમત: રું 20/- ભારતનો મધ્યકાળનો ઇત...Read more

(ENG) લેખિકા: સુશીલા ટી.અમીન, આવૃત્તિ: ચોથી, પૃષ્ઠ: 112, કિંમત: રું 20/- ભારતનો મધ્યકાળનો ઇતિહાસ અવતારી સંતોથી ભરપૂર છે. વીસમી સદીમાં શિરડીના સંત શ્રીસાંઇબાબા, સેગાંવના શ્રીગજાનન મહારાજ, સાંઈખેડાના શ્રીધૂણીવાળા દાદાજી-શ્રીકેશવાનંદજી, શ્રીનાગપુરના ઓલિયા શ્રીતાજુદ્દીન-બાબા, સાકુરીના શ્રીઉપાસની મહારાજ અને નડિયાદના પૂજ્યશ્રીમોટા જેવા મહાન અવતારી સંતપુરુષો થઇ ગયા. શ્રીકેશવાનંદજી-શ્રીધૂણીવાળા દાદાજી ઘણી વખત પોતે મોટેથી બોલતા, 'હું શંકર છું. હું શંકર છું'. જેમ ભગવાન શંકર સર્વજ્ઞ, સર્વવ્યાપક અને સમદર્શી છે, તેવી રીતે શ્રીકેશવાનંદજી-શ્રીધૂણીવાળા દાદાજી હતા. તેમણે પોતે અનેક અલૌકિક લીલાઓ વડે પોતાના સર્વજ્ઞ, , સર્વવ્યાપક અને સમદર્શી જેવા ગુણો પ્રગટ કર્યા છે. આ વિજ્ઞાનયુગમાં શ્રીદાદાજીની લીલાઓ અને ચમત્કારોને બુદ્ધિશાળી લોકો ભ્રમણા તરીકે ગણાવી શકે, પરંતુ તેમના જીવનની ઘટનાઓને હજુ વધારે વર્ષો વીત્યાં નથી. તે સમયના લોકો આજે પણ હયાત છે. Read less

Dec 07, 2020
મારી સાધનાકથા (Mari Sadhna Katha)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંકલન કર્તા:- શ્રીમતી સુશીલા ટી. અમીન, આવૃત્તિ:- બીજી , પૃષ્ઠ: 291, કિંમ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંકલન કર્તા:- શ્રીમતી સુશીલા ટી. અમીન, આવૃત્તિ:- બીજી , પૃષ્ઠ: 291, કિંમત:- ₹ 25/- સને 2004 માં સુશીલબહેનને નડિયાદ મૌનરૂમ નંબર ચારમાં પૂજ્ય શ્રીમોટાની દિવ્યવાણી સંભળાઈ “બહેન! મારી સાધનાકથા તું કેમ લખતી નથી ?” ત્યારબાદ તેમણે "મારી સાધનાકથા પુસ્તકનું સંકલન કર્યું. Read less

Dec 07, 2020
પારસલીલા Paaras Leela

પારસ લીલા paras leela

પારસ લીલા paras leela Read less

Nov 25, 2020
સમય સાથે સમાધાન (Samay Sathe Samadhan)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 108, કિંમત:- ₹ 10/- ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ: ચોથી , પૃષ્ઠ: 108, કિંમત:- ₹ 10/- સ્વ. બાબુભાઈને મેનેન્જાઇટીસનો જીવલેણ વ્યાધિ થયો હતો. નામસ્મરણની શક્તિથી એ એમાંથી કેવી રીતે ઊગર્યા એનો આછોપાતળો પણ પ્રેરક ઇતિહાસ પૂજ્ય શ્રીમોટાના આ પત્રોમાં છે. તમાકુવાળા પરિવારના સભ્યોએ આ પત્રો જાળવી રાખ્યા એનું સારું પરિણામ આવ્યું.આ નાનકડા પુસ્તકમાં એ પત્રોનું સંપાદન થઈ શક્યું છે. Read less

Nov 25, 2020
પૂજ્ય શ્રીમોટાના વ્હાલા ઝીણાભાઈ (Pujya Shree Mota na Vhala Zinabhai)

સંકલનકર્તા:- ડૉ. અનિલભાઈ ભાલોડિયા,આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 276 , કિંમત: ₹ 20/- સુરત સ્ટેશનના પ...Read more

સંકલનકર્તા:- ડૉ. અનિલભાઈ ભાલોડિયા,આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 276 , કિંમત: ₹ 20/- સુરત સ્ટેશનના પ્લૅટફૉર્મ ઉપર પૂજ્ય શ્રીમોટાની અને શ્રી ઝીણાકાકાની જ્યારે ‘નજરો નજર મળી’ એ ધન્ય પળે શ્રીમોટામાં શ્રીરામસ્વરૂપનાં દર્શન થયાં, તે ક્ષણે જ જાણે પોતે દીક્ષિત થયા હોય તેમ ક્રમશઃ સંપૂર્ણ સેવકભાવે તેઓ વિકાસ પામતા ગયા. હરિઃૐ આશ્રમ, સુરતના પ્રારંભ કાળની તે સમયની પરિસ્થિતિ અને સંજોગોની જે આછીપાતળી માહિતી સ્વજનો પાસે છે, તેટલા ઉપરથી પણ શ્રી ઝીણાકાકાએ પસાર કરેલ સમર્પિત જીવનની ઝાંખી થઈ શકે છે. Read less

Nov 25, 2020
પૂજ્ય શ્રીમોટાના બે બોલ (Pujya Shree Mota na Be Bol)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- પ્રથમ , પૃષ્ઠ:- 372, કિંમત:- ₹ 35/- પૂજ્ય શ્રીમોટા પોતાનાં...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- પ્રથમ , પૃષ્ઠ:- 372, કિંમત:- ₹ 35/- પૂજ્ય શ્રીમોટા પોતાનાં પુસ્તકોમાં ‘લેખકના બે બોલ’ સ્વરૂપે પ્રગટ થયેલા, તે તમામ પુસ્તકોમાંથી લેખકના બે બોલનો સંગ્રહ એકઠો કરી 'પૂજ્ય શ્રીમોટાના બે બોલ' પુસ્તક હરિ:ૐ આશ્રમ, સુરત દ્ધારા રચાયેલ છે. Read less

Nov 25, 2020
આહુતિમંત્ર અને આરતી (Aahuti Mantra ane Aarti)

લેખક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 85, કિંમત:- ₹ 10/- સાધનામાર્ગ અંગેના વાંચનમાં...Read more

લેખક:-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 85, કિંમત:- ₹ 10/- સાધનામાર્ગ અંગેના વાંચનમાં પણ સમજણને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ‘સમજ્યા વિનાનું વાંચવું તે વાંચ્યું ન કહેવાય, પરંતુ સમજવાનાં દ્વારને બંધ કર્યું ગણાય. સમજીને વાંચવાનું રાખવું. જે કંઈ સમજીએ એનું રહસ્ય, હેતુ, ગાંભીર્ય ને જોખમદારી પૂરેપૂરાં પ્રીછીએ. આવી રીતથી અને ભાવનાથી વાંચીએ તો જ સમજનાં દ્વાર ઊઘડે. સાચું શું છે, તે સમજવાને આપણે પોતે ખુલ્લા થવું પડશે.તે વિના ગમે તેમ વાંચેલું ખપમાં આવવાનું નથી.’ પૂજ્ય શ્રીમોટાના આવા વિશિષ્ટ અને વિરલ દૃષ્ટિકોણ ‘આહુતિમંત્ર’ તથા ‘આરતી’માંના જે ભાવાત્મક અર્થ સમજાયા એ રીતે નવેસરથી સુધારીને આ આવૃત્તિમાં રજૂ કર્યા છે. Read less

Nov 25, 2020
ભાવ (Bhav)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રીમતી કુમુદબહેન શશિકાંતભાઈ પટેલ , આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 28,...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રીમતી કુમુદબહેન શશિકાંતભાઈ પટેલ , આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 28, કિંમત:- ₹ 5/- શબ્દમાં જેનું વર્ણન કરવું અતિ દુષ્કર છે તેવા ભાવ વિષે પૂજ્ય શ્રી મોટાએ વિગતવાર અનુષ્ટુપ છંદમાં માત્ર 88 કડી માં વિગતવાર સમજાવ્યું છે. અદભુત રચના ! Read less

Nov 23, 2020
તદ્રુપ સર્વરૂપ (Tadrup Sarvrup)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રમેશભાઈ ભટ્ટ , આવૃત્તિ:- પ્રથમ , પૃષ્ઠ:- 212, કિંમત:- ₹...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રી રમેશભાઈ ભટ્ટ , આવૃત્તિ:- પ્રથમ , પૃષ્ઠ:- 212, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાએ 1974-75 માં રમણભાઈ અમીન સાથે સત્સંગ કરેલો. એ સત્સંગ શ્રી રમણભાઈએ કેસેટ-ટેઇપમાં રેકર્ડ કરેલો. એ પરથી શ્રી રમેશભાઈ ભટ્ટે સંપાદન કરેલું આ પુસ્તક 'તદ્રુપ સર્વરૂપ' તૈયાર થયું છે. Read less

Oct 27, 2020
હરિ:ૐ આશ્રમ (Hari Om Ashram)

લેખક:- શ્રી રમેશભાઈ ભટ્ટ , આવૃત્તિ:- પાંચમી , પૃષ્ઠ:- 124, કિંમત:- ₹ 20/- શ્રી રમેશભાઈ ભટ્ટ...Read more

લેખક:- શ્રી રમેશભાઈ ભટ્ટ , આવૃત્તિ:- પાંચમી , પૃષ્ઠ:- 124, કિંમત:- ₹ 20/- શ્રી રમેશભાઈ ભટ્ટે, પૂ. શ્રીમોટાના જીવન અને કાર્યને તેમજ તેમના સાહિત્યને લોકમાનસ સમજી શકે તે રીતે સંકલન કરીને રજૂ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. આ પુસ્તકમાં પૂ. શ્રીમોટાએ કયા હેતુથી હરિઃૐ આશ્રમની સ્થાપના કરી છે અને આશ્રમ થકી શ્રીમોટાના મિશનની વિસ્તૃત માહિતીનું આલેખન છે. Read less

Oct 27, 2020