ગુજરાતી પુસ્તકો (Gujarati Books)



      
રાગદ્વેષ (Rag Dhvesh)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી શિલ્પકાર કાન્તિભાઈ પટેલ , આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 93, કિંમ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી શિલ્પકાર કાન્તિભાઈ પટેલ , આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 93, કિંમત:- ₹ 5/- રાગદ્વેષનું વિજ્ઞાન સમજાવતું આધ્યાત્મિક શાસ્ત્ર. રાગદ્વેષ મોળા ક્યારે પડે,લક્ષણો,મોળા પાડવાની રીતો વગેરે... Publication year:- 1972 Read less

Oct 20, 2020
પ્રેમ (Prem)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી રમેશ મ. ભટ્ટ, આવૃત્તિ:-બીજી, પૃષ્ઠ:-372, કિંમત:- ₹25/- સ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- શ્રી રમેશ મ. ભટ્ટ, આવૃત્તિ:-બીજી, પૃષ્ઠ:-372, કિંમત:- ₹25/- સંસારીઓ જે પ્રકારની લાગણીને, ઊર્મિને ‘પ્રેમ’ના નામથી ઓળખે છે - કે ઓળખાવે છે - એ પ્રેમની વાત અહીં નથી, પણ હૃદયની ભીતરમાં છેક ઊંડે સર્વવ્યાપક રહેલા સ્નેહસાગર મોજાંની એક પછી એક વાગતી છાલકો આ પુસ્તકમાં છે. Publication Year:- 1973 Read less

Oct 20, 2020
પ્રણામ પ્રલાપ (Pranam Pralap)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:-પાંચમી, પૃષ્ઠ:-188, કિંમત:- ₹15/- ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક:- નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:-પાંચમી, પૃષ્ઠ:-188, કિંમત:- ₹15/- આ પુસ્તકમાં ભક્તિની સમજણ, શ્રદ્ધાની સમજણ તથા ભક્તિ એ મહાપરાક્રમી નરવીર પુરુષની છે અને ભક્તિના જેવું જીવનમાં બીજું કશું પરાક્રમ નથી તેવું લખાણ પણ આમાં છે. Publication Year:- 1947 Read less

Oct 19, 2020
નિમિત્ત (Nimitt)

લેખક:- પૂજ્ય શ્રીમોટા,આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 101, કિંમત:- ₹ 5/- અત્યંત ગૂઢ અને રહસ્યમય નિમિત...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા,આવૃત્તિ:- ચોથી, પૃષ્ઠ:- 101, કિંમત:- ₹ 5/- અત્યંત ગૂઢ અને રહસ્યમય નિમિત્ત-વિજ્ઞાન વિશે અનુષ્ટુપ છંદમાં અનાયાસે સ્ફુરણ થતાં ‘નિમિત્ત’ની આ કૃતિ પ્રગટી છે. આ ‘નિમિત્ત’ અસાધારણ કોટિના અનુભવી અને મરમી સંતની સ્વાનુભૂતિમાંથી ઉદય પામેલું સર્જન છે. શ્રી ઈંદુભાઈ દેસાઈ ના ઘરે પધરામણી વખતે પૂજ્ય શ્રીમોટાએ પ્રા. શ્રી એ. જી. ભટ્ટસાહેબ તથા પ્રા. શ્રી ઇંદુકુમાર દેસાઈ-એ બન્નેના નિમિત્તકારણથી આ ‘નિમિત્ત’ રચ્યું છે. Publication year:- 1972 Read less

Oct 19, 2020
કૃપા (Krupa)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 148, કિંમત:- ₹ 20/-...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 148, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાએ કૃપાનાં કાર્યની વિરલતાની અને લાક્ષણિકતાની કેટલીક રેખાઓ આ પુસ્તકમાં દોરી છે, પણ પૂજ્ય શ્રીમોટાના ભાંગી પડેલા શરીરથી, અને તે પણ એલર્જીથી હાથપગમાં સતત ખંજવાળ આવતી હતી તેવી સંપૂર્ણ વિરોધી દેખાતી પરિસ્થિતિમાં ‘કૃપા’ પુસ્તક લખાયું છે, એ જ કૃપાનાં કાર્યનું પ્રત્યક્ષ દર્શન છે. Publication Year:- 1973 Read less

Oct 19, 2020
કર્મઉપાસના (Karm Upasana)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- પાંચમી , પૃષ્ઠ:- 180, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાએ સન ૧૯૭...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:- પાંચમી , પૃષ્ઠ:- 180, કિંમત:- ₹ 20/- પૂજ્ય શ્રીમોટાએ સન ૧૯૭૩માં કુંભકોણમ્‌ના હરિઃૐ આશ્રમમાં એમના શરીરની વિપરીત સ્થિતિમાં ‘કર્મઉપાસના’ વિશે શ્લોકો લખ્યા. આ ‘કર્મઉપાસના’ પૂજ્ય શ્રીમોટાના કુંભકોણમ્‌ના યુવાન મિત્ર ભાઈશ્રી હરિ ઉર્ફે દિલીપના નિમિત્તે લખાઈ હતી.કર્મફળનો આધ્યાત્મિક સિદ્ધાંત-કર્મનો સિદ્ધાંત-જાણવા ઉત્સુક સૌ શ્રેયાર્થીઓને પૂજ્ય શ્રીમોટા જુદી જ રીતે સંતોષ આપે છે. Publication Year:- 1973 Read less

Oct 19, 2020
કર્મગાથા (Karm Gatha)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમણભાઈ બી. અમીન , આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 252, કિંમત:- ₹ ...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :-શ્રી રમણભાઈ બી. અમીન , આવૃત્તિ:- ચોથી , પૃષ્ઠ:- 252, કિંમત:- ₹ 20/- (પૂજ્ય શ્રીમોટાનાં પત્રકાવ્યો સાધક મિત્રોને) ‘કર્મગાથા’ તો સર્વ કોઈને માટેનું એક અનોખું માર્ગદર્શક પુસ્તક છે. પ્રભુનો અનુભવ કરવા ઝંખનાર વ્યક્તિ માટે એ નિત્યનો સાથી બની રહે એવો આ ગ્રંથ છે. એનું પરિશીલન અનુશીલન વાચકના હૈયાને પ્રસન્ન કરશે. Publication Year:- 1946 Read less

Oct 18, 2020
જોડાજોડ (Joda Jod)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન,સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 155, કિંમત:- ₹ 15/- પૂજ્ય શ્રીમોટાનો રમણભાઈ અમીન સાથેનો સત્સંગ - 6 Publication Year:- 1992

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સ્વજન :-શ્રી રમણભાઈ બી. અમીન,સંપાદક:-ડૉ. રમેશભાઈ ભટ્ટ, આવૃત્તિ:- ત્રીજી , પૃષ્ઠ:- 155, કિંમત:- ₹ 15/- પૂજ્ય શ્રીમોટાનો રમણભાઈ અમીન સાથેનો સત્સંગ - 6 Publication Year:- 1992 Read less

Oct 18, 2020
જીવનતપ (Jivan Tap)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રીમતી કાંતાબહેન ચીમનલાલ શાહ , આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 380...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રીમતી કાંતાબહેન ચીમનલાલ શાહ , આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 380, કિંમત:- ₹ 35/- આ પુસ્તકનું નામ મેં (પૂજ્ય શ્રીમોટા) ‘જીવનતપ’ આપેલું છે અને જીવનમાં છેક બાળપણથી માંડીને આજ સુધી માત્ર સહન કરવાનું જ આવ્યું છે અને તે સહેવાનું કઈ કઈ રીતે, કઈ કઈ ભાવનાથી, કયા કયા હેતુમૂલક ઉદ્દેશથી, કઈ કઈ જ્ઞાન વિકાસક સમજણથી, તે બધું વિગતથી ગાયું છે. Publication Year:- 1972 Read less

Oct 18, 2020
જીવનસ્મરણસાધના (Jivan Smaran Sadhna)

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રીમતી જ્યોતિબહેન રોહિતભાઈ ગાંધી, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 3...Read more

લેખક:- પૂજ્ય શ્રીમોટા, સંપાદક :- શ્રીમતી જ્યોતિબહેન રોહિતભાઈ ગાંધી, આવૃત્તિ:- ત્રીજી, પૃષ્ઠ:- 368, કિંમત:- ₹ 30/- સ્મરણ દ્વારા પૂજ્ય શ્રીમોટાએ તેમની સાધના કેવી રીતે કરી અને નામસ્મરણ કરતાં કરતાં તેમને કયા કયા પ્રકારની મુશ્કેલીઓ આવી અને તેનું નિરાકરણ પણ કેવી રીતે થયું તેની બધી વાત તેમણે ‘જીવનસ્મરણસાધના’માં ગાઈ છે. Publication Year:- 1973 Read less

Oct 18, 2020
જીવનસંશોધન (Jivan Sanshodhan)

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આ...Read more

લેખક: પૂજ્ય શ્રીમોટા, સંપાદકો:-શ્રી હેમંતકુમાર ગુણાભાઈ નીલકંઠ અને શ્રી નંદલાલ ભોગીલાલ શાહ, આવૃત્તિ:- પાંચમી, પૃષ્ઠ:- 444, કિંમત:- ₹25/- આ પુસ્તકમાંના પત્રો સને ૧૯૩૯-૧૯૪૦માં જીવનવિકાસની સમજણ પ્રગટાવવાને માટે એક જ વ્યક્તિને સંબોધીને લખેલા છે.તે સમયમાં પ્રવર્તતી તે વ્યક્તિનાં કક્ષા, પ્રકૃતિ અને સ્વભાવને અનુલક્ષીને આ બધું લખાણ હોઈ તેમાં તેટલા પૂરતો જ પ્રકાશ પડેલો છે. તેથી, આધ્યાત્મિક વિષયનાં સર્વ પાસાં અને સર્વ કક્ષાનો ખ્યાલ તેમાં નથી એટલું લક્ષમાં રાખવાની વાચકને વિનંતી છે. Publication Year:- 1957 Read less

Oct 18, 2020
જીવનસંગ્રામ (Jivan Sangram)

લેખક:-પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:-છઠ્ઠી, પૃષ્ઠ:-92, કિંમત:- ₹10/- પૂજ્ય શ્રીમોટાની કલમ દ્વારા...Read more

લેખક:-પૂજ્ય શ્રીમોટા, આવૃત્તિ:-છઠ્ઠી, પૃષ્ઠ:-92, કિંમત:- ₹10/- પૂજ્ય શ્રીમોટાની કલમ દ્વારા જીવનમાં રોજબરોજ પ્રાપ્ત થતા પ્રસંગોના સ્વીકાર સાથે જીવનવિકાસ સાધવા માટે જે અમૂલ્ય અને વિપુલ સાહિત્ય સ્વજનોને પ્રાપ્ત થયું છે, તેમાં ‘જીવન સંગ્રામ’નું આગવું મહત્ત્વ છે.જીવનમાં ઊભી થતી સ્થૂળ અથડામણો દ્વારા આધારનાં કરણોમાં જે સૂક્ષ્મ સંગ્રામનું સર્જન થાય છે અને તે દ્વારા શ્રીભગવાન એકમાત્ર તારણહાર છે, એવી પ્રતીતિ થતાં जीव ए શરણાગત બને છે. એવા માર્ગની વિગતો આવા સાહિત્યમાંથી મળી આવે છે. Publication Year:- 1946 Read less

Oct 18, 2020