Categories
Book Gujarati books

જીવનઝલક (Jivan Zalak)

લેખકના બે બોલ

(પ્રથમ આવૃત્તિ)

જીવનઅનુભવગીત છપાતું હતું, ત્યારે એક શ્રીમતી ડૉક્‌ટર બહેને વિનંતી કરી કે ‘મોટા, મને પણ રોજની એકાદ ગઝલ પોસ્ટકાર્ડ દ્વારા લખી મોકલો, તો તે બધી એકઠી થયે, તે પુસ્તકરૂપે છપાવીશ.’ શ્રીપ્રભુકૃપાથી તે નિમિત્તે મળ્યું, તેને શ્રીપ્રભુકૃપાની અણમોલ પ્રસાદી સમજું છું.

આવું યોગ્ય નિમિત્ત મળવાથી સ્મરણના સાધનને શ્રીપ્રભુકૃપાથી जीवे કેવી રીતે જીવનમાં તાણાવાણાની પેઠે વણી લીધેલું છે, તેનો ઇતિહાસ થોડો ઘણો પણ લખવાનો જે અવસર મળ્યો છે, તેને હું મારું સદ્‌ભાગ્ય ગણું છું. જીવનઅનુભવગીત, જીવનલહરિ અને જીવનઝલક એ ત્રણે પુસ્તકોમાં સ્મરણને મેં જે રીતે બહુવિધ દોહરાવ્યું છે, તે જોતાં जीवे સ્મરણ સાધનને જે ભાવે અને જે હેતુની સભાનતાથી લીધા કરેલું છે, તેનો સળંગ ઇતિહાસ તો નહિ, પરંતુ તેનો કંઈક ઇશારો તો મળી શકે તેવું છે.

શ્રીપ્રભુકૃપાથી કેવાં કેવાં નિમિત્ત મળ્યાં છે અને તે નિમિત્તોએ મને જે મદદ કરેલી છે, તેનો પણ એક સ્વતંત્ર અને નોખો ઇતિહાસ છે. એવાં અનેક સ્વજનોના અને जीवના.

(અનુષ્ટુપ)

દોષો કેવા થયેલા જે તેના તે પરિણામને-

શૂળીનું વિઘ્ન સોયેથી ટળે’, તે ભાવથી હૃદે,

મળ્યાં-નિમિત્ત-સંબંધે વર્તાતાં, હેતુથી જ તે-

ભોગવાતાં, સ્તવું, મોળું થજો દોષનું જીવને.

પ્રત્યેક કંઈક પ્રાર્થના કરી કરી શ્રીપ્રભુનાં ચરણકમળમાં પ્રેમભક્તિભાવે સમર્પણ કર્યા કરવાનો જે જ્ઞાનભાન સાથેનો જીવંત અભ્યાસ પડ્યા કરેલો છે, તેથી તેવાં તેવાં નિમિત્ત સંબંધોનાં તેવાં તેવાં સ્મરણને પણ સમર્પણભાવે શ્રીહરિનાં ચરણકમળમાં શુદ્ધ થવા સમર્પણ કરી કરી પ્રાર્થું છું કે :-

(અનુષ્ટુપ)

થવા પાત્ર પ્રભુને તે સ્વજન દિલમાં ઊંડું,

ડંખનું ભાન પ્રેરાવી જગાડો તેમને’, સ્તવું.

જે રીતે, જે ભાવે શ્રીભગવાનને મારાથી ભજવાનું થયેલું છે, તે જ મેં સ્વજનોને ગાઈ બતાવ્યું છે અને સ્વજનોને પણ પોતાને શ્રેયાર્થી થવાની ઉત્કટ ઝંખના હોય, તો તેવાએ પણ કેવું કેવું થવું જોઈશે, તે પણ શ્રીપ્રભુકૃપાથી દર્શાવવાનું થયેલું છે.

નિમિત્ત હેતુએ મળેલાં સ્વજનો મારાં આવાં લખાણને સ્વીકારી પ્રેમથી વધાવી લેશે એવી શ્રદ્ધા સેવું છું.

તે ડૉક્‌ટર બહેનનો હૃદયથી આભાર માનું છું કે મને આવી રીતે વ્યક્ત થવાની તક તેમણે પ્રેરાવી.

આ તો માત્ર જોડકણાં છે અને તે રીતે શ્રેયાર્થી એને સ્વીકારશે  એવી વિનંતી છે.

મોટા

હરિઃૐ આશ્રમ,

શેઢી નદી, નડિયાદ.

તા. ૧૯-૮-૧૯૭૧

Categories
Book Gujarati books

જીવનસ્પંદન (Jivan Spandan)

સંપાદકના બે બોલ

પૂજ્ય શ્રીમોટાએ ‘જીવનઅનુભવગીત’ રચ્યા પછી, जीवनના અનુભવનાં વિવિધ પાસાંઓને સ્પર્શતી સંખ્યાબંધ રચનાઓ રચાયે જ જાય છે. જીવનસ્પંદનમાં જે રચનાઓ ગ્રંથસ્થ થઈ છે, એમાં તેઓશ્રીના જીવનનાં અનેક સ્પંદનો આસ્વાદ્ય બની શક્યાં છે.

આ પુસ્તકની એક વિશેષતા છે. એમાં તેઓશ્રીએ જીવદશાના વમળમાં’ એ મથાળાવાળા વિભાગમાં મુકાયેલી ગઝલો રચી છે, એની પાછળનો ઘણો જ ગહન ગૂઢ મર્મ રહેલો છે. તેઓશ્રીએ આ પુસ્તકના ‘લેખકના બે બોલ’ના મથાળે લખેલા લખાણમાં એ વાત સ્પષ્ટ કરી છે. પૂજ્ય શ્રીમોટાએ આ ખૂબ જ ગૂઢ અને ગહન વાતને આટલી પણ સ્પષ્ટ કરી એથી અનુભવીના નિમિત્ત’ને અને અનુભવીની ‘સકળ-વ્યાપી’ અનુભવ લીલાને સંકેતથી પણ યત્કિંચિત્‌ સમજી શકાય એવું લાગે છે ખરું.

અનુભવી પુરુષ નિમિત્તયોગે’ જે જે जीवो સાથે સંકળાય છે, એની પાછળની કાર્યકારણની સાંકળ કેવી સૂક્ષ્મ હોઈ શકે એનો ખુલાસો પ્રતીતિકર બની શક્યો છે. વળી, આવા અનુભવી પુરુષ પ્રત્યેના આકર્ષણ પાછળ પણ एवाનું જ  પૂર્વના અનંત જન્મોનું આકર્ષણબળ જ ગૂઢ રીતે કાર્ય કરતું હોય છે, એની પ્રતીતિ પણ પૂજ્યશ્રીના લખેલા ‘લેખકના બે બોલ’માંથી મળી રહે છે.

પણ આ બધી પ્રતીતિ ઉપરથી આપણે સમજવાનું એ છે કે આવા પુરુષનો સંપર્ક પામ્યા પછી આપણું જીવન અને આપણો વ્યવહાર, ગમે તેવાં વિચ્છિન્ન અને આદર્શવિરોધી ન હોવો જોઈએ,કેમ કે સર્વમાં રહેલા ચેતનતત્વ સાથે एकरूप થયેલો હોવાથી, અનુભવી,નિમિત્તે મળેલાં સ્વજનોની પ્રકૃતિ સાથે ખેલતો હોય છે. આથી, ષ્ના ખેલને સાથ આપીને આપણી जीवકક્ષાને ઊંચે લાવવા આપણે જાગૃતિપૂર્વક, પ્રેમભક્તિથી તેમ જ જીવનવિકાસના હેતુના જ્ઞાન સાથે મથવું જ રહ્યું. તો જ આવા અનુભવી સાથે મળ્યાની સાર્થકતા સિદ્ધ થઈ શકે.

પૂજ્ય શ્રીમોટાએ આ પુસ્તકના પ્રકાશન સાથે મારું નામ મુકાવીને મને જે માન આપ્યું છે, એ માટે મારી કશી જ યોગ્યતા નથી. એમના પરિચય અને સંપર્કથી જે જે સમજ ઊગે છે, એ જીવનના વ્યવહારમાં ઊતરે નહિ ત્યાં લગી કશી રીતે પણ હું યોગ્ય ન લેખાઉં.

પૂજ્ય શ્રીમોટા આ પુસ્તકમાં ‘સ્વજનને’ સંબોધીને જે જે કહે છે, એ યથાર્થતામાં જીવવા માટે મથવાની શક્તિ, બળ આપે એવી પ્રાર્થના કરી વિરમું છું.

૩૨, પંચવટી, મણિનગર,                                                                                                                             અરુણા રમેશભાઈ ભટ્ટ                                                                               અમદાવાદ-૬