પ્રભુની ખોજ (Prabhu ni Khoj)

10.00

                                         ‘પ્રભુની ખોજ’ના વાચકને

આ પુસ્તકનું સંપાદન પ્રયોગાત્મક જર્નલ ( Journal ) તરીકે કર્યું છે . આથી , વધુમાં વધુ વાચકો પોતે પ્રયોગ કરી , અમલ કરી નવી સમજણ કે દ્રષ્ટિ અને નવું જ્ઞાન પામે , એ સંપાદનનું પ્રયોજન છે . પૂજ્ય શ્રીમોટા દરેક કક્ષાના ‘જીવન’ને જિંદગીમાં જીવનનાં સુખ – આનંદ પ્રગટાવવાનો માર્ગ દર્શાવે છે . માટે , પૂજ્ય શ્રીમોટાએ દર્શાવેલી રીતોનો વારંવાર પ્રયોગ કરી કરીને શીખવું પડેછે , કારણ કે આપણી રોજની જિંદગીમાં કામાદિથી દોરવાયેલો જીવનપટ પડેલો છે . એમાંથી નીકળવું મુશ્કેલ છે .

માટે ‘ પ્રભુની ખોજ ’ વાંચ્યા પછી ઘણું ઘણું કરવાનું રહે છે . આ બધું સ્મૃતિમાં રહે અને અન્યથા પ્રસંગોમાં આપમેળે ( Automatic ) વર્તાય એ દોહ્યલું હોવાથી , રોજની ‘ યાદનીશી ’ ( Memory Aid ) તરીકે પૂજ્ય શ્રીમોટાની જ રચનામાંથી આ ત્રિપુટી મૂકી છે . એમાંની પહેલી પ્રાર્થના Aid Memorie છે . બીજું ‘ સાધનામર્મ ’ વર્તન માટેનું માર્ગદર્શન ( Guide to Behaviours ) છે . અને આરતી આચરણ સંહિતા ( Guide to Practise ) અથવા વર્તનકળા છે .

આપણું જીવન રાગદ્વેષાદિના પ્રવાહમાં જ તણાયે જાય છે . આથી , ‘ હું ’ કે ‘ મારું ’ – થી – પોતાનાથી નોખા થઈ શકવાની કળા જેવી કોઈ ચીજ છે એની ખબર જ હોતી નથી . ‘ પ્રભુની ખોજ’માં આ કળાની તારવણી થઈ છે . આવી કળા આત્મસાત્ કરી શકાય , પણ આપણે જીવદશાના અનેક જૂના સંસ્કાર સ્વભાવથી પડેલા પટમાંથી બહાર નીકળી શકતા નથી . જો નીકળવું હોય તો … આ પુસ્તકમાં દર્શાવેલા પ્રયોગો વાંચી , સમજી , પ્રભુસ્મરણ આચરણમાં મૂકવા સિવાય કોઈ સરળ સીધો માર્ગ નથી . આપુસ્તકનો ‘ અભ્યાસ ’ એટલે વારંવાર વાંચી , ગોખી , સમજી પ્રેકિટસમાં મૂકવાની કળા આપણે શીખવી હોય તો …

એ માટે થોડાક સમયમાં સહાયક – પ્રેરક બને એવી આ સામગ્રી ( સાધન – ત્રિપુટી ) દિવસ દરમિયાન અનેકવાર ઉપયોગમાં લઈ શકાય . અમને આશા છે કે પૂજ્ય શ્રીમોટાએ કહ્યું છે એ મુજબ પ્રયોગો કરવા અને આત્મસાત્ કરવા કોઈક ધન્ય પળે કોઈક વાચક પ્રેરાશે …

… તો અમારાથી થયેલો આ પ્રયત્ન સફળ થશે … જો વાચકોના અનુભવ – પત્ર દ્વારા નવીન સૂચનો મળે તો પત્ર નીચેના ટૂંકા સરનામે એક પોસ્ટકાર્ડમાં જ મોકલવા , જવાબ જોઈએ તો રિપ્લાઈ પેઈડ પોસ્ટકાર્ડ મોકલવા કૃપા …

સંપાદકો

[ સરનામું : 106 , AKAR , 8 HAREKRISHNA MANDIR Rd . SHIVAJI NAGAR , PUNE PIN – 411016 ]

SKU: sku-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%ad%e0%ab%81%e0%aa%a8%e0%ab%80-%e0%aa%96%e0%ab%8b%e0%aa%9c-prabhu-ni-khoj Category:

Description

                                         ‘પ્રભુની ખોજ’ના વાચકને

આ પુસ્તકનું સંપાદન પ્રયોગાત્મક જર્નલ ( Journal ) તરીકે કર્યું છે . આથી , વધુમાં વધુ વાચકો પોતે પ્રયોગ કરી , અમલ કરી નવી સમજણ કે દ્રષ્ટિ અને નવું જ્ઞાન પામે , એ સંપાદનનું પ્રયોજન છે . પૂજ્ય શ્રીમોટા દરેક કક્ષાના ‘જીવન’ને જિંદગીમાં જીવનનાં સુખ – આનંદ પ્રગટાવવાનો માર્ગ દર્શાવે છે . માટે , પૂજ્ય શ્રીમોટાએ દર્શાવેલી રીતોનો વારંવાર પ્રયોગ કરી કરીને શીખવું પડેછે , કારણ કે આપણી રોજની જિંદગીમાં કામાદિથી દોરવાયેલો જીવનપટ પડેલો છે . એમાંથી નીકળવું મુશ્કેલ છે .

માટે ‘ પ્રભુની ખોજ ’ વાંચ્યા પછી ઘણું ઘણું કરવાનું રહે છે . આ બધું સ્મૃતિમાં રહે અને અન્યથા પ્રસંગોમાં આપમેળે ( Automatic ) વર્તાય એ દોહ્યલું હોવાથી , રોજની ‘ યાદનીશી ’ ( Memory Aid ) તરીકે પૂજ્ય શ્રીમોટાની જ રચનામાંથી આ ત્રિપુટી મૂકી છે . એમાંની પહેલી પ્રાર્થના Aid Memorie છે . બીજું ‘ સાધનામર્મ ’ વર્તન માટેનું માર્ગદર્શન ( Guide to Behaviours ) છે . અને આરતી આચરણ સંહિતા ( Guide to Practise ) અથવા વર્તનકળા છે .

આપણું જીવન રાગદ્વેષાદિના પ્રવાહમાં જ તણાયે જાય છે . આથી , ‘ હું ’ કે ‘ મારું ’ – થી – પોતાનાથી નોખા થઈ શકવાની કળા જેવી કોઈ ચીજ છે એની ખબર જ હોતી નથી . ‘ પ્રભુની ખોજ’માં આ કળાની તારવણી થઈ છે . આવી કળા આત્મસાત્ કરી શકાય , પણ આપણે જીવદશાના અનેક જૂના સંસ્કાર સ્વભાવથી પડેલા પટમાંથી બહાર નીકળી શકતા નથી . જો નીકળવું હોય તો … આ પુસ્તકમાં દર્શાવેલા પ્રયોગો વાંચી , સમજી , પ્રભુસ્મરણ આચરણમાં મૂકવા સિવાય કોઈ સરળ સીધો માર્ગ નથી . આપુસ્તકનો ‘ અભ્યાસ ’ એટલે વારંવાર વાંચી , ગોખી , સમજી પ્રેકિટસમાં મૂકવાની કળા આપણે શીખવી હોય તો …

એ માટે થોડાક સમયમાં સહાયક – પ્રેરક બને એવી આ સામગ્રી ( સાધન – ત્રિપુટી ) દિવસ દરમિયાન અનેકવાર ઉપયોગમાં લઈ શકાય . અમને આશા છે કે પૂજ્ય શ્રીમોટાએ કહ્યું છે એ મુજબ પ્રયોગો કરવા અને આત્મસાત્ કરવા કોઈક ધન્ય પળે કોઈક વાચક પ્રેરાશે …

… તો અમારાથી થયેલો આ પ્રયત્ન સફળ થશે … જો વાચકોના અનુભવ – પત્ર દ્વારા નવીન સૂચનો મળે તો પત્ર નીચેના ટૂંકા સરનામે એક પોસ્ટકાર્ડમાં જ મોકલવા , જવાબ જોઈએ તો રિપ્લાઈ પેઈડ પોસ્ટકાર્ડ મોકલવા કૃપા …

સંપાદકો

[ સરનામું : 106 , AKAR , 8 HAREKRISHNA MANDIR Rd . SHIVAJI NAGAR , PUNE PIN – 411016 ]

Reviews

There are no reviews yet.

Be the first to review “પ્રભુની ખોજ (Prabhu ni Khoj)”

Your email address will not be published.