જીવનસ્પંદન (Jivan Spandan)

25.00

સંપાદકના બે બોલ

પૂજ્ય શ્રીમોટાએ ‘જીવનઅનુભવગીત’ રચ્યા પછી, जीवनના અનુભવનાં વિવિધ પાસાંઓને સ્પર્શતી સંખ્યાબંધ રચનાઓ રચાયે જ જાય છે. જીવનસ્પંદનમાં જે રચનાઓ ગ્રંથસ્થ થઈ છે, એમાં તેઓશ્રીના જીવનનાં અનેક સ્પંદનો આસ્વાદ્ય બની શક્યાં છે.

આ પુસ્તકની એક વિશેષતા છે. એમાં તેઓશ્રીએ જીવદશાના વમળમાં’ એ મથાળાવાળા વિભાગમાં મુકાયેલી ગઝલો રચી છે, એની પાછળનો ઘણો જ ગહન ગૂઢ મર્મ રહેલો છે. તેઓશ્રીએ આ પુસ્તકના ‘લેખકના બે બોલ’ના મથાળે લખેલા લખાણમાં એ વાત સ્પષ્ટ કરી છે. પૂજ્ય શ્રીમોટાએ આ ખૂબ જ ગૂઢ અને ગહન વાતને આટલી પણ સ્પષ્ટ કરી એથી અનુભવીના નિમિત્ત’ને અને અનુભવીની ‘સકળ-વ્યાપી’ અનુભવ લીલાને સંકેતથી પણ યત્કિંચિત્‌ સમજી શકાય એવું લાગે છે ખરું.

અનુભવી પુરુષ નિમિત્તયોગે’ જે જે जीवो સાથે સંકળાય છે, એની પાછળની કાર્યકારણની સાંકળ કેવી સૂક્ષ્મ હોઈ શકે એનો ખુલાસો પ્રતીતિકર બની શક્યો છે. વળી, આવા અનુભવી પુરુષ પ્રત્યેના આકર્ષણ પાછળ પણ एवाનું જ  પૂર્વના અનંત જન્મોનું આકર્ષણબળ જ ગૂઢ રીતે કાર્ય કરતું હોય છે, એની પ્રતીતિ પણ પૂજ્યશ્રીના લખેલા ‘લેખકના બે બોલ’માંથી મળી રહે છે.

પણ આ બધી પ્રતીતિ ઉપરથી આપણે સમજવાનું એ છે કે આવા પુરુષનો સંપર્ક પામ્યા પછી આપણું જીવન અને આપણો વ્યવહાર, ગમે તેવાં વિચ્છિન્ન અને આદર્શવિરોધી ન હોવો જોઈએ,કેમ કે સર્વમાં રહેલા ચેતનતત્વ સાથે एकरूप થયેલો હોવાથી, અનુભવી,નિમિત્તે મળેલાં સ્વજનોની પ્રકૃતિ સાથે ખેલતો હોય છે. આથી, ષ્ના ખેલને સાથ આપીને આપણી जीवકક્ષાને ઊંચે લાવવા આપણે જાગૃતિપૂર્વક, પ્રેમભક્તિથી તેમ જ જીવનવિકાસના હેતુના જ્ઞાન સાથે મથવું જ રહ્યું. તો જ આવા અનુભવી સાથે મળ્યાની સાર્થકતા સિદ્ધ થઈ શકે.

પૂજ્ય શ્રીમોટાએ આ પુસ્તકના પ્રકાશન સાથે મારું નામ મુકાવીને મને જે માન આપ્યું છે, એ માટે મારી કશી જ યોગ્યતા નથી. એમના પરિચય અને સંપર્કથી જે જે સમજ ઊગે છે, એ જીવનના વ્યવહારમાં ઊતરે નહિ ત્યાં લગી કશી રીતે પણ હું યોગ્ય ન લેખાઉં.

પૂજ્ય શ્રીમોટા આ પુસ્તકમાં ‘સ્વજનને’ સંબોધીને જે જે કહે છે, એ યથાર્થતામાં જીવવા માટે મથવાની શક્તિ, બળ આપે એવી પ્રાર્થના કરી વિરમું છું.

૩૨, પંચવટી, મણિનગર,                                                                                                                             અરુણા રમેશભાઈ ભટ્ટ                                                                               અમદાવાદ-૬

SKU: sku-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%aa%e0%aa%82%e0%aa%a6%e0%aa%a8-jivan-spandan Category:

Description

સંપાદકના બે બોલ

પૂજ્ય શ્રીમોટાએ ‘જીવનઅનુભવગીત’ રચ્યા પછી, जीवनના અનુભવનાં વિવિધ પાસાંઓને સ્પર્શતી સંખ્યાબંધ રચનાઓ રચાયે જ જાય છે. જીવનસ્પંદનમાં જે રચનાઓ ગ્રંથસ્થ થઈ છે, એમાં તેઓશ્રીના જીવનનાં અનેક સ્પંદનો આસ્વાદ્ય બની શક્યાં છે.

આ પુસ્તકની એક વિશેષતા છે. એમાં તેઓશ્રીએ જીવદશાના વમળમાં’ એ મથાળાવાળા વિભાગમાં મુકાયેલી ગઝલો રચી છે, એની પાછળનો ઘણો જ ગહન ગૂઢ મર્મ રહેલો છે. તેઓશ્રીએ આ પુસ્તકના ‘લેખકના બે બોલ’ના મથાળે લખેલા લખાણમાં એ વાત સ્પષ્ટ કરી છે. પૂજ્ય શ્રીમોટાએ આ ખૂબ જ ગૂઢ અને ગહન વાતને આટલી પણ સ્પષ્ટ કરી એથી અનુભવીના નિમિત્ત’ને અને અનુભવીની ‘સકળ-વ્યાપી’ અનુભવ લીલાને સંકેતથી પણ યત્કિંચિત્‌ સમજી શકાય એવું લાગે છે ખરું.

અનુભવી પુરુષ નિમિત્તયોગે’ જે જે जीवो સાથે સંકળાય છે, એની પાછળની કાર્યકારણની સાંકળ કેવી સૂક્ષ્મ હોઈ શકે એનો ખુલાસો પ્રતીતિકર બની શક્યો છે. વળી, આવા અનુભવી પુરુષ પ્રત્યેના આકર્ષણ પાછળ પણ एवाનું જ  પૂર્વના અનંત જન્મોનું આકર્ષણબળ જ ગૂઢ રીતે કાર્ય કરતું હોય છે, એની પ્રતીતિ પણ પૂજ્યશ્રીના લખેલા ‘લેખકના બે બોલ’માંથી મળી રહે છે.

પણ આ બધી પ્રતીતિ ઉપરથી આપણે સમજવાનું એ છે કે આવા પુરુષનો સંપર્ક પામ્યા પછી આપણું જીવન અને આપણો વ્યવહાર, ગમે તેવાં વિચ્છિન્ન અને આદર્શવિરોધી ન હોવો જોઈએ,કેમ કે સર્વમાં રહેલા ચેતનતત્વ સાથે एकरूप થયેલો હોવાથી, અનુભવી,નિમિત્તે મળેલાં સ્વજનોની પ્રકૃતિ સાથે ખેલતો હોય છે. આથી, ષ્ના ખેલને સાથ આપીને આપણી जीवકક્ષાને ઊંચે લાવવા આપણે જાગૃતિપૂર્વક, પ્રેમભક્તિથી તેમ જ જીવનવિકાસના હેતુના જ્ઞાન સાથે મથવું જ રહ્યું. તો જ આવા અનુભવી સાથે મળ્યાની સાર્થકતા સિદ્ધ થઈ શકે.

પૂજ્ય શ્રીમોટાએ આ પુસ્તકના પ્રકાશન સાથે મારું નામ મુકાવીને મને જે માન આપ્યું છે, એ માટે મારી કશી જ યોગ્યતા નથી. એમના પરિચય અને સંપર્કથી જે જે સમજ ઊગે છે, એ જીવનના વ્યવહારમાં ઊતરે નહિ ત્યાં લગી કશી રીતે પણ હું યોગ્ય ન લેખાઉં.

પૂજ્ય શ્રીમોટા આ પુસ્તકમાં ‘સ્વજનને’ સંબોધીને જે જે કહે છે, એ યથાર્થતામાં જીવવા માટે મથવાની શક્તિ, બળ આપે એવી પ્રાર્થના કરી વિરમું છું.

૩૨, પંચવટી, મણિનગર,                                                                                                                             અરુણા રમેશભાઈ ભટ્ટ                                                                               અમદાવાદ-૬

Reviews

There are no reviews yet.

Be the first to review “જીવનસ્પંદન (Jivan Spandan)”

Your email address will not be published.