Categories
Book Gujarati books

જીવનમથામણ (Jivan Mathaman)

મથ્યા વિના કશું પણ કંઈ જીવનમાં ના જ મળતું છે,

ગરજ  રળવાની  લીધેથી  હૃદય  મથવાનું  ઊગ્યું  છે.

 

તમન્ના    જે    ભભૂકેલી    જીવનતત્ત્વ    અનુભવવા,

મને   એણે ન  દીધો   છે,  પડી  રહેવા   કદી  છાનો.

 

બહુ  મથતાં,  બહુ મથતાં,  જુદી જુદી રીત જીવનને

-અનુભવવા  મળ્યું, એ  તો  પ્રસાદી  શી  हरिની તે !

 

મથ્યા  કેડે  ઘણું  ઘણું  જ્યાં  પછી  આરામ  કરવાને

-સમય મળતો, મીઠો કેવો ! મધુરપ તેની ઑર જ છે !

 

 ‘જીવન મથામણ’,બીજી આ., પૃ-90