Categories
Book Gujarati books

શ્રીમોટા સાથે વાર્તાલાપ (Shree Mota Sathe Vartalap)

પ્રશ્ન : ઘણા એમ કહેતા હોય છે , કે ઘડપણમાં ગોવિંદ ગાઈશું’ . આ શક્ય છે ?

ઉત્તર : ઘડપણમાં મોટે ભાગે કોઈ ગોવિંદના ના ગુણ ગાઈ શકવાનું નથી . જીવનની સાધના એટલી સહેલી નથી . સાધનામાં જોઈતાં સાહસ , હિંમત , પુરુષાર્થનું બળ , ઉત્સાહ , ખંત , ધીરજ વગેરે ગુણો જુવાનીમાં જ વધુ ખીલેલા રહે છે . તે વેળાએ સાધનામાં જો ખૂંપી જવાનું બન્યું તો ઉત્તરોત્તર વિકાસ થયા કરવાનો . ત્યારે એવા માનવીને ઘડપણ હોવા છતાં ઘડપણ નહિ હોય . જુવાની એ તાજું ફૂલ છે . શ્રીભગવાનને ચરણે તાજાં ફૂલો ચડાવવાનાં હોય .

શ્રીમોટા

‘શ્રીમોટા સાથે વાર્તાલાપ’ , આઠમી આ.; પૃ . ૧૪૬