જીવનલહરી (Jivan Lahari)

20.00

નિવેદન 

શ્રીસદ્‌ગુરુ સ્થૂળ દેહ નથી, તે તો સાધકના દિલમાં પ્રગટેલો ભાવ છે. જ્યાં સુધી ભાવ હૃદયમાં સ્થાપિત હોય ત્યાં સુધી જ સદ્‌ગુરુનું જીવનપ્રેરક સાચું સાંનિધ્ય. સ્થૂળ સાંનિધ્ય ઉપકારક ખરું, પણ ખાસ ઉપયોગી નહિ.

આ સમજણ તો સૌને હોય છે. છતાં, ગુરુના ભાવાત્મક સાંનિધ્યને દિલમાં પ્રગટાવવું અતિ કઠણ છે. પૂજ્ય શ્રીમોટાનાં નિકટ પરિચયનાં સ્વજન ડૉ. કાંતાબહેન પટેલે પોતાનું દિલ પૂજ્ય શ્રીમોટામાં રમ્યા કરે એ માટેનાં સાધનોની સરળ સમજ પ્રગટે તેવી દોરવણી આપવા પૂજ્ય શ્રીમોટાને વિનંતી કરેલી. પૂજ્યશ્રીના દિલમાં સતત પ્રભુપ્રેમના ભાવની છોળો તો ઊછળ્યા જ કરે. એમનું દિલ એટલે પ્રેમ અને ભાવથી છલકાતો સાગર.

પૂજ્યશ્રી રોજ એક ગઝલની રચના કરે અને તે ટપાલથી ડૉ. કાંતાબહેન ઉપર રવાના કરે. આમ, ભાવસિંધુમાંથી ઊછળેલી આવી બસો સોળ જેટલી ગઝલોની લહેરો ડૉ. કાંતાબહેનના હૃદયના અંતરભાવોને સતત ભીંજવતી રહી. જીવનલહરિ’ એ આ બસો સોળ ગઝલ લહરિનો સમૂહ છે. પૂજ્યશ્રીના હૃદયમાં પ્રવેશવાનો સરળ છતાં જીવનભરની સાધના માગતો રાજમાર્ગ તેમાં સ્પષ્ટ વર્તાય છે.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા પ્રેમભાવથી અને ચીવટથી શ્રી જયંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. તેમના સહકારની અમો કદર કરીએ છીએ. આ પુસ્તકની આવરણ ડિઝાઇન ખૂબ જ ઉત્સાહથી અને આકર્ષક રીતે તૈયાર કરી આપનાર શ્રી મયૂરભાઈ જાનીનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

ટાઇટલને ચાર રંગમાં છાપી આપવા બદલ સાહિત્ય મુદ્રણાલયના નિયામકો શ્રી શ્રેયસભાઈ પંડ્યા તથા શ્રી યજ્ઞેશભાઈ પંડ્યાનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

ચિખોદરાના વતની શ્રી ચૂનીભાઈ ડાહ્યાભાઈ પટેલના આર્થિક સહયોગથી આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમો આનંદ અનુભવીએ છીએ. આશા છે કે સૌ કોઈ આ પુસ્તકને પ્રેમથી વધાવશે.

હરિઃૐ આશ્રમ,                                                                                                                                                            સી. ડી.શાહ 

નડિયાદ.                                                                                                                                                                               મૅનેજિંગ ટ્રસ્ટી

તા. ૧૪-૨-૧૯૯૯

SKU: sku-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8-%e0%aa%b2%e0%aa%b9%e0%aa%b0%e0%ab%80-jivan-lahari Category:

Description

નિવેદન 

શ્રીસદ્‌ગુરુ સ્થૂળ દેહ નથી, તે તો સાધકના દિલમાં પ્રગટેલો ભાવ છે. જ્યાં સુધી ભાવ હૃદયમાં સ્થાપિત હોય ત્યાં સુધી જ સદ્‌ગુરુનું જીવનપ્રેરક સાચું સાંનિધ્ય. સ્થૂળ સાંનિધ્ય ઉપકારક ખરું, પણ ખાસ ઉપયોગી નહિ.

આ સમજણ તો સૌને હોય છે. છતાં, ગુરુના ભાવાત્મક સાંનિધ્યને દિલમાં પ્રગટાવવું અતિ કઠણ છે. પૂજ્ય શ્રીમોટાનાં નિકટ પરિચયનાં સ્વજન ડૉ. કાંતાબહેન પટેલે પોતાનું દિલ પૂજ્ય શ્રીમોટામાં રમ્યા કરે એ માટેનાં સાધનોની સરળ સમજ પ્રગટે તેવી દોરવણી આપવા પૂજ્ય શ્રીમોટાને વિનંતી કરેલી. પૂજ્યશ્રીના દિલમાં સતત પ્રભુપ્રેમના ભાવની છોળો તો ઊછળ્યા જ કરે. એમનું દિલ એટલે પ્રેમ અને ભાવથી છલકાતો સાગર.

પૂજ્યશ્રી રોજ એક ગઝલની રચના કરે અને તે ટપાલથી ડૉ. કાંતાબહેન ઉપર રવાના કરે. આમ, ભાવસિંધુમાંથી ઊછળેલી આવી બસો સોળ જેટલી ગઝલોની લહેરો ડૉ. કાંતાબહેનના હૃદયના અંતરભાવોને સતત ભીંજવતી રહી. જીવનલહરિ’ એ આ બસો સોળ ગઝલ લહરિનો સમૂહ છે. પૂજ્યશ્રીના હૃદયમાં પ્રવેશવાનો સરળ છતાં જીવનભરની સાધના માગતો રાજમાર્ગ તેમાં સ્પષ્ટ વર્તાય છે.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા પ્રેમભાવથી અને ચીવટથી શ્રી જયંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. તેમના સહકારની અમો કદર કરીએ છીએ. આ પુસ્તકની આવરણ ડિઝાઇન ખૂબ જ ઉત્સાહથી અને આકર્ષક રીતે તૈયાર કરી આપનાર શ્રી મયૂરભાઈ જાનીનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

ટાઇટલને ચાર રંગમાં છાપી આપવા બદલ સાહિત્ય મુદ્રણાલયના નિયામકો શ્રી શ્રેયસભાઈ પંડ્યા તથા શ્રી યજ્ઞેશભાઈ પંડ્યાનો અમો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

ચિખોદરાના વતની શ્રી ચૂનીભાઈ ડાહ્યાભાઈ પટેલના આર્થિક સહયોગથી આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમો આનંદ અનુભવીએ છીએ. આશા છે કે સૌ કોઈ આ પુસ્તકને પ્રેમથી વધાવશે.

હરિઃૐ આશ્રમ,                                                                                                                                                            સી. ડી.શાહ 

નડિયાદ.                                                                                                                                                                               મૅનેજિંગ ટ્રસ્ટી

તા. ૧૪-૨-૧૯૯૯

Reviews

There are no reviews yet.

Be the first to review “જીવનલહરી (Jivan Lahari)”

Your email address will not be published.