મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા (Maun Mandir ma Pranpratishtha)

Dec 14, 2021

નિવેદન

પૂજ્ય શ્રીમોટા , હરિઃૐ આશ્રમ , સુરતમાં દર અઠવાડિયે મૌનએકાંત લેનાર સ્વજનો સમક્ષ મૌનએકાંતની સાધનાપદ્ધતિ વિશે તથા જીવનના વિકાસ પરત્વે કેવી રીતે સાવધાન રહેવાય એ વિશે થોડીક મિનિટો બોલતા હતા . એ વાતોની નોંધ સદ્દગત  ભાઈ શ્રી ચૂનીભાઈ તમાકુવાળાએ તથા ભાઈ શ્રી ચંપકભાઈ ભૂતવાળાએ કરેલી . એ વક્તવ્યોની નોંધ પૂજ્ય શ્રીમોટા વાંચી જતા હતા . આથી એ નોંધો અધિકૃત ગણાય. આ પ્રવચનોની હસ્તલિખિત નોટબુકો સુરતનાં મૌનમંદિરોમાં રાખવામાં આવતી હતી . જેથી , એ વાંચવાથી કોઈક સાધકને પ્રેરણા મળે .

એ પ્રવચન નોંધોમાંથી પ્રથમ પુસ્તક મૌનએકાંતની કેડીએ ’ , દ્વિતીય પુસ્તક મૌનમંદિરનું હરિદ્વાર ’ , તૃતીય પુસ્તક મૌનમંદિરનો મર્મ ’ , ચોથું પુસ્તક મૌનમંદિરમાં પ્રભુ ’ પ્રગટ થઈ ચૂક્યાં છે . આ છેલ્લું અને પાંચમું પુસ્તક મૌનમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા ’ પ્રકાશિત થઈ રહ્યું છે . આ પુસ્તકો સાથે પૂજ્ય શ્રીમોટાના આ પ્રકારનાં પ્રવચનોની પ્રકાશનશ્રેણી પૂરી થાય છે . શ્રી રમેશભાઈ ભટ્ટે ઉપરનાં બધાં પુસ્તકોનું માનાર્હ સંપાદન કરી આપ્યું છે . એમના ભાવનાભર્યાં આ કાર્યની અમે કદર કરીએ છીએ . પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભાવની વૃદ્ધિ કાજે એ આ કાર્ય કરે છે . એવી એમની ભાવનાની અમે દિલથી કદર કરીએ છીએ .

પૂજ્ય શ્રીમોટાનું આ પુસ્તક જિજ્ઞાસુઓને જરૂર પ્રેરક અને માર્ગદર્શક નીવડશે એવી શ્રદ્ધા છે.

નડિયાદ,                                                                                                                                              ટ્રસ્ટીમંડળ

તા . ૧૬-૯-૧૯૮૫                                                                                                                      હરિ:ૐ આશ્રમ , નડિયાદ

Read PDF Book Read Flipbook Buy Book
5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Books

View All